Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

પ્રભાસ પાટણ વેરાવળ રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણા અકસ્માત નોતરશેઃ તંત્ર જાગે

પ્રભાસપાણ તા ૨૩ : પ્રભાસ-પાટણ-સોમનાથ થી વેરાવળ જતા મુખ્ય હાઇવે રોડ ઉપર થોડા સમય પહેલા ભુગર્ભ ગટર માટે કામગીરી થયેલ હતી અને રોડ ઉપર ભુગર્ભ ગટરઉપરાઉપર થોડા અંતરે ઢાંકણા ફીટ કરવામાં આવેલ છે.

આ કામગીરી ખુબજ નબળી હોવાથી થોડા સમયમાં આ ગટર પરના ઢાંકણો તુટવાની શરૂઆત થઇ ગયેલ છે અન ેઅમુક જગ્યાએ રોડના લેવલ કરતા આ ઢાંકણા ઉપર અથવા નીચે છે, તેમજ જે ઢાંકણા તુટી ગયેલ છે તેમાં ખાડા પડી ગયેલ છે જેથી પથ્થરા રાખવામાં આવેલ છે.

આવી સ્થિતી પ્રભાસપાટણથી વેરાવળ સુધીના આખા રસ્તા ઉપર આવેલ છે અને જે તે વખતે આ કામગીરી થયેલ ત્યારે જ નબળી થયેલ છે અને વ્યાપક પ્રમાણમાં ભષ્ટાચાર થયાની ફરીયાદ ઉઠી હતી.

આ  હાઇવે રોડ  હોવાથી આ રસ્તા ઉપર સતત વાહનો ચાલતા હોય છે અને આ ખરાબ રસ્તો અને તુટેલા તેમજ ઉંચા નિચા ઢાંકણાને કારણે લોકોએ ખુબજ સાવચેતી થી ડ્રાઇવીંગ કરવું પડે છે. જરા ચુક થાય તો સિધો અકસ્માત અને આવા બનાવો વારંવાર બને છે

ખાસ કરીને રાત્રીના સમયે આવા બનાવો વધુ બને છે છતા અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓના પેટનું પાણી પણ હલતુ નથી. આ રોડ ઉપર તુટેલા તેમજ નિચે જે ઢાંકણાઓ આવેલ છે તેને તાત્કાલીક રીપેરીંગ કરે તેવી લોકોની માંગણી છે

(5:07 pm IST)