Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પોરબંદરના હેમેન્દ્રકુમાર પારેખ સહિત ૩પ સીનીયર સીટીઝન્સનું વિશેષ સેવા યોગદાન સાંજે સન્માન

પોરબંદર, તા. ર૩ :  પીઢ પત્રકાર હેમેન્દ્રકુમાર પારેખ સહિત શહેરના ૩પ સીનીયર સીટીઝન્સનું પોરબંદર માટે વિશેષ સેવા યોગદાન આપવા માટે આજે સાંજે ૬.૩૦ વાગ્યે સત્યનારાયણ મંદિરના શારદા નંદલાલ હોલ ખાતે સન્માન કરવામાં આવશે.

સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ કલરવ સાહિત્ય વિકાસ ટ્રસ્ટ તથા ઓમ ગ્રુપના સંયુકત ઉપક્રમે યોજાનાર જીવન સાફિલ્ય સન્માન સમારંભમાં વિશેષ સન્માન કરવામાં આવશે.

કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાના હસ્તે આ વિશેષ સેવા યોગદાન માટે સીનીયર સીઝઝનસનું સન્માન કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

 

(3:52 pm IST)