Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

'માસીબા' જેવો છે, એવી વાતો ફેલાવતો હતો

ધોળકાના અજીત રાવળની હત્યાઃ છાતી ઉપર લાગેલ છરીનો ઘા જીવલેણ નિવડયોઃ હત્યારા રફુચક્કર

વઢવાણ તા. ૨૩ :. 'માસીબા' જેવો છે એવી વાતો ફેલાવતો હોવાથી ધોળકાના અજીત રાવળની નરસિંહ પગી, કનુ પગી અને વિક્રમ પગીએ અજીત રાવળની હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધોળકા ખાતે વટામણ ચોકડી પાસે આવેલ બામણપીઠના નાકે રહેતા અજીત નટુભાઈ રાવળ આરોપી નરસિંહ કનુભાઈ પગી (ઠાકોર)ને 'માસીબા' હોવાની વાતો ફેલાવતો હતો જેથી તેમના ભાઈ વિક્રમભાઈ પગી તથા તેમના પિતા કનુભાઈ પગી સહિતનાએ અજીત રાવળની છાતી ઉપર છરીનો ઘા ઝીંકી દેતા તેનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. હત્યાના આ બનાવ બાદ ત્રણેય આરોપીઓ નાસી છૂટતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જે અંગે મૃતકના ભાઈ દશરથભાઈ રાવળએ ત્રણ શખ્સો નરસિંહભાઈ કનુભાઈ પગી, કનુભાઈ ભાથીભાઈ પગી અને વિક્રમભાઈ કનુભાઈ પગી તમામ રહે.ધોળકાવાળા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

(3:58 pm IST)