Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇના હસ્તે રાશન કિટનું વિતરણ

સુરેન્દ્રનગર : કોરોનાની મહામારીના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, જેની અસરના પગલે સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા અંતર્ગત વાલી વારસ અને દિવ્યાંગ બાળકોન સારસંભાળ રાખતી સંસ્થાઓ દ્વારા આવા તમામ બાળકોને તેમના ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. ત્યારે આવા કાળજી અને રક્ષણની જરૂરીયાત ધરાવતા બાળકોને રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે રાશનની કિટનું વિતરણ કરાયુ હતું. જિલ્લા કલેકટર કે. રાજેશ સહિતના અધિકારી ઉપસ્થિત રહયા હતાં. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અજય મોટકા તથા તેમની ટીમ દ્વારા જિલ્લાના આશરે ૧૦૦ જેટલા જરૂરીયાતમંદ બાળકોના ઘરે-ઘરે જઇને રાશનની કીટ અપાઇ છે.

(11:46 am IST)