Gujarati News

Gujarati News

News of Thursday, 23rd April 2020

બ્રિટનથી પોરબંદર આવેલ ૧૧ એનઆરઆઇને પરત જવા અમદાવાદથી ખાસ પ્લેનની વ્યવસ્થા

 પોરબંદર,તા. ૨૩ : બ્રિટેનથી પોરબંદર આવેલા ૧૧ એનઆરઆઇ લોક ડાઉનમાં ફસાઇ જતાં તેમને પરત બ્રિટન જવા ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા મંજુરી આપીને અમદાવાદથી ખાસ પ્લેન વ્યવસ્થા કરવામાં આવી છે.

બ્રિટન થી આવેલ ભારતીય મૂળ ના નાગરિકો જે બ્રિટન ના નાગરિકતા ધરાવે છે તેવી ૧૧ વ્યકિતઓ લોકડાઉન માં ફસાઈ જતા આવા ૧૧ બ્રિટિશ નાગરિકો માટે  તેમના દેશ માં મોકલવા ની વ્યવસ્થા ભારત સરકાર ના મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા કરવામાં આવી હતી. આ નાગરિકો ને પોરબંદર થી અમદાવાદ પહોચાડવા મંજુરી આપવા માં આવેલ પોરબંદરથી અમદાવાદ વાહન અને ડ્રાઇવર ની પણ વ્યવસ્થા કરવા આવી હતી. 

ભારત સરકાર દ્વારા અને અગાઉ ઓસ્ટ્રેલિયા પછી જર્મની ત્રણ દિવસ પહેલા બ્રિટન ના નાગરિકો ને રવાના કરાયા બાદ વધુ ૧૧ લોકો ને અમદાવાદ થી ખાસ પ્લેન દ્વારા બ્રિટન જવા રવાના  કરવામાં આવે છે. સરકારી તંત્ર એ સહરાનીય કામગીરી ને આવકાર મળ્યો છે.

(11:40 am IST)