Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

જેતપુરમાં ગણાત્રા પરિવારનાં કુળદેવી શ્રી ભવાનીમા અને સુરાપુરાબાપાના મંદિરે નવચંડી હવન-પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

રપ અને ર૬નાં બે દિવસીય ભવ્ય આયોજનઃ તડામાર તૈયારી

રાજકોટ તા.૧૩: જેતપુરમાં ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી ભવાનીમા તેમજ પૂ. સુરાપુરા બાપાના મંદિર, ગુજરાતીની વાડી, રામક્રિષ્નાનગર, ગૌશાળા પાસે તા.રપ અને ર૬ માર્ચનાં બે દિવસીય શ્રી ભવાની માતાજીનો નવચંડી હવન તેમજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

જે અંતર્ગત તા.રપને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્યે શોભાયાત્રા, સાંજે પ-૩૦ વાગ્યે હેમાદ્રી શ્રવણ, સાંજે ૭ વાગ્યે ફરાળ, રાત્રે ૮-૩૦ વાગ્યાથી ભજન કિર્તન અને લોકડાયરો યોજાશે.

તા.ર૬ને સોમવારે સવારે ૮ વાગ્યે નવચંડી યજ્ઞ વિધી, બપોરે ૧ર વાગ્યે મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને બપોરે ૧-૩૦ વાગ્યે ફરાળ, સાંજે પ વાગ્યે બીડુ હોમવામાં આવશે. બીડુ હોમાયા બાદ સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

શોભાયાત્રામાં પુરૂષોએ બ્લુ-સફેદ વસ્ત્ર અને મહિલાઓએ લાલ-લીલા વસ્ત્રો પહેરવાના રહેશે. હવનના દિવસે કોઇપણ જાતનાં માનતાના નિવેદ ન કરવા તથા હવનમાં બેસનારને જ માતાજીના તથા સુરાપુરા બાપાના નિવેદ કરવાના રહેશે.

યજ્ઞના યજમાન જયેશભાઇ પ્રવિણભાઇ ગણાત્રા (આફ્રિકા), શ્રીમતી સોનલબેન જયેશભાઇ ગણાત્રા, શ્રી પાર્થભાઇ રાજુભાઇ ગણાત્રા (વડોદરા), શ્રીમતી વિદ્યાબેન પાર્થભાઇ ગણાત્રા રહેશે.

સફળ બનાવવા સલાહકાર સમિતીના વિમલભાઇ ભુપતભાઇ ગણાત્રા (રાજકોટ) મો. ૯૮રપપ ૧૩ર૧૬, વિપુલભાઇ કાંતિલાલ ગણાત્રા (જેતપુર) મો. ૯૪ર૭૪ ૪૦૧૪૧, ગોપાલભાઇ બી. ગણાત્રા (જુનાગઢ)  મો. ૯૮૯૮ર ૦ર૯૮૪, નરેન્દ્રભાઇ સુર્યકાન્તભાઇ ગણાત્રા (અમરેલી) મો. ૯૪ર૮૮, ૬૮૮૭ર, રાજુભાઇ ગણાત્રા (વડોદરા) મો. ૯૪ર૬પ ૧૦પ૪૪, સુનિલભાઇ નારણદાસ ગણાત્રા (જેતપુર) મો. ૯૮રપપ ૪૪૭૪૮, કારોબારી સભ્યો રાજુભાઇ હિમતભાઇ ગણાત્રા, રાકેશભાઇ મનસુખભાઇ ગણાત્રા, નિપુલભાઇ લલીતભાઇ ગણાત્રા, જીતેન્દ્રભાઇ મગનભાઇ ગણાત્રા, સંજયભાઇ પ્રફુલભાઇ ગણાત્રા, નિતીનભાઇ કાનજીભાઇ ગણાત્રા (રાજકોટ) સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:34 am IST)