Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

જુનાગઢમાં પુ.હરિપ્રસાદ સ્વામીની ઉપસ્થિતીમાં સ્નેહમિલન સભા

જુનાગઢ તા.૨૩: યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પ્રગટગુરૂહરિ પ.પુ.હરિપ્રસાદ સ્વામીની ઉપસ્થિતીમાં આગામી તા.૨૫મીએ રવિવારના રોજ સાંજે ૫.૩૦ થી ૭.૩૦ કલાક સુધી નિરંજનનગર-૨ જલારામ મંદિર સામે સત્યમ પાર્ટી પ્લોટ પાછળ ઝાંઝરડા ચોકડી બાયપાસ ચોકડી જુનાગઢ ખાતે સ્નેહમિલન સભા અને ત્યારબાદ પ્રસાદનુ આયોજન કરાયુ છે.

જેમના દર્શનથી લાખો લોકોની આંખોમાં અમી પથરાયા છે જેમની પરાવાણીના પાવનશબ્દોથી લાખો કર્ણ પટલ ઉજાગર થયા છે જેમના પ્રત્યેક પગલે આત્મીયતાની ગંગા વહે છે તેમના નિસ્વાર્થ પ્રેમથી લાખો હૈયા પુલકીત બન્યા છે

એવા સંત શિરોમણી ભગવાન સ્વામિનારાયણની કલ્યાણ પંરપરાના આધ્યાત્મિક વારસ યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પુ.હરિપ્રસાદ સ્વામી ખાસ ઉપસ્થિત રહી દર્શન પરાવાણીનો લાભ આપશે. આ અવસરે સૌ હરિભકતોને લાભ લેવા સાધુ સુયોગજીવનદાસજી તથા ગુણાતીત પ્રદેશ સત્સંગ મંડળે ભાવભયુ નિમંત્રણ પાઠવ્યુ છે.

(1:16 pm IST)