Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સોલડી પાસેથી ૩૬ અબોલ જીવો બચાવાયા

ટ્રક સાથે બે શખ્સો દબોચાયાઃ ભૂજથી અમદાવાદ 'કતલખાને'લઇ જતા હોવાની કબૂલાત

વઢવાણ તા.૨૩: ધ્રાંગધ્રાના સોલડી પાસેથી જીવદયા પ્રેમીઓની સતકેતાને પગલે ટ્રકમાં કતલખાને લઇ જવાતા ૩૧ નાના અને પ મોટા સહિત એક સાથે ૩૬ આબોલજીવોને બચાવી લેવાયા હતા.

વિગત મુજબ ધ્રાંગધ્રા-માળિયા હાઇવે પર સોલડી ગામ નજીક બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ વોચ ગોઠવી શંકાસ્પદ હાલતમાં નિકળેલ ટ્રકને પકડી ૩૧નાના અને ૫ મોટા સહિત એક સાથે ૩૬ પશુઓને અમદાવાદ કતલખાને જતા બચાવી લીધા હતા.

જમાં પકડાયેલા બન્ને શખ્સોએ પુછપરછમાં મુંગા જીવોને ભુજથી અમદાવાદ કતલખાને લઇ જવાનું કબુલ્યુ હતુ. પશુઓને ધ્રાંગધ્રાની પાંજરાપોળમાં મોકલી છેવાયા હતા.

આ મામલે પોલીસે ટ્રક સાથે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી આગળ ધપાવી હતી.

(1:08 pm IST)