Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

સોરઠના વિકાસ કાર્યોને બજેટમાં સમાવતા કોપોરેટર શૈલેષ દવે દ્વારા આવકાર

જૂનાગઢ તા. ૨૩: રાજયસરકારનુ રજુ થયેલ બજેટમાં ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીને રૂ. ૨૦ કરોડ જોષીપરા ઓવરબ્રીજ માટે રૂ. ૨૦ કરોડ તેમજ નરસિહ મહેતા સરોવારના વિકાસ માટે રૂ. ૭ કરોડ રાજય સરકારના બજેટમાં ફાળવવામાં આવતા મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતીના ચેરમેન શૈલેષ આર. દવેએ આવકારી મુ.મંત્રી વિજયભાઇ રૂપાણીને હૃદય પૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

શ્રી દવેએ જણાવ્યુ હતુ કે સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર ચરિતાર્થ કરતા ગુજરાતના વિકાસશીલ મુ.મંત્રી શ્રી રૂપાણી ગુજરાતના બજેટમાં જુનાગઢને પ્રાધ્યન્ય આપી  ભવનાથની સીડીના સમારકામ તેમજ મીનીકુંભને ફાળવેલ ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવતા વિકાસના દ્વારક ખુલશે અને પ્રવાસન સ્થળનો વિકાસ થશે તેમ જણાવી અંતમા અભિનંદન પાઠવી આભાર વ્યકત કરેલ છે.

(11:33 am IST)