Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

અમરેલીમાં કોળી સમાજના તૃતીય સમુહ લગ્ન યોજાયાઃ ૭ નવદંપતીઓના પ્રભુતામાં પગલા

અમરેલી, તા., ૨૩: સંત શ્રી વેલનાથ ગૃપ દ્વારા સમસ્ત કોળી સમાજનો તૃતીય સમુહલગ્નોત્સવ યોજાયો.

સમુહલગ્નમાં ગુજરાત રાજય ચુંવાળીયા કોળી સમાજના મહામંત્રી છોટુભાઇ પરસોંઢા, મનસુખભાઇ ઉંધાડ, ક્ષત્રીય સમાજના અગ્રણીય ભરતસિંહ સરવૈયા, ચિતલ આચાર્ય સંઘના મહામંત્રી મુકુંદભાઇ મહેતા, અમરેલી નાગરીક સહકારી બેંકના ડીરેકટર ડો.સાપરીયા, જિલ્લા ભાજપના અગ્રણી દિપકભાઇ વઘાસીયા, બ્રહ્મસમાજના અગ્રણી મુકેશભાઇ તેરૈયા, નગર પાલીકાના સદસ્ય મૌલીકભાઇ ઉપાધ્યાય, સંવેદન ગૃપના પ્રમુખ વિપુલભાઇ ભટ્ટી, ચિતલના પુર્વ ઉપસરપંચ દશરથસિંહ સરવૈયા ઉપસ્થિત રહયા હતા.

સમુહલગ્નમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. ચુંવાળીયા કોળી સમાજની બે દિકરીઓ પ્રિયાબેન જાદવ કુરીયા, તેમજ નેહાબેન મકવાણાએ સમાજમાં શિક્ષણનું સ્તર વધે તે અંગે પોતાના વિચાર રજુ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંતશ્રી વેલનાથ ગૃપના મહામંત્રી ભરતભાઇ મકવાણાએ કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા સંતશ્રી વેલનાથ ગૃપના પ્રમુખ  નાનજીભાઇ કુરીયાજાદવ, રમેશભાઇ મોરવાડીયા બટુકભાઇ ખીમાણી સુભાષભાઇ ચૌહાણ કાનજીભાઇ ચૌહાણ, ભરતભાઇ કોરડીયા, ભીમજીભાઇ લીંબાશીયા, વશરામભાઇ મોરવાડીયા, ધનજીભાઇ મકવાણા, દિનેશભાઇ કુરીયાજાદવ, નીખીલભાઇ સોલંકી, નટુભાઇ મકવાણા, જગદીશભાઇ ચાવડા, પરેશભાઇ રાણાવડીયા, કડવાભાઇ ચૌહાણ, નટુભાઇ સાવડીયા, ધીરૂભાઇ મોરવાડીયા, પ્રકાશભાઇ મકવાણા, ધનજીભાઇ ધાખડા ગોહીલ, તુષારભાઇ પરમાર, સુનીલભાઇ રાણાવડીયા, હરેશભાઇ જાદવકુરીયા, જીતાભાઇ ચૌહાણ, મહેશભાઇ મોરવાડીયા, મનીષભાઇ મકવાણા, હર્ષદભાઇ ચારોલા, રમેશભાઇ ધાખડા ગોહીલ, કલ્પેશભાઇ ચૌહાણ, મહેશભાઇ મકવાણા, અજીતભાઇ લીંબાશીયા, મુકેશભાઇ મોરવાડીયા, મનસુખભાઇ કુરીયાજાદવ, અતુલભાઇ કુરીયાજાદવ, નિકુંજભાઇ કુરીયાજાદવ, સંજયભાઇ કુરીયાજાદવ, વિજયભાઇ કુરીયાજાદવ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:32 am IST)