Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

વીમા કંપનીને ર૭ હજાર કરોડ ચુકવાયા પણ ખેડુતોને મળ્યા માત્ર ર૧ર કરોડ

વિધાનસભામાં કોંગીના વીરજી ઠુંમરનો આક્રોશ : અમરેલી જિલ્લામાં ર,૩૬,૪૩૪ ખાતેદાર ખેેડુતો કૃષિ મંત્રી

ગાંધીનગર, તા., ર૩: અમરેલી જીલ્લામાં નોંધાયેલ ખાતેદાર ખેડુતોની સંખ્યા અંગે પુછેલા ઠુમરના પ્રશ્નના ઉતરમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, તા.૩૧-૧ર-૧૭ની સ્થિતિએ કુલ ર૩૬૪૩૪ ખાતેદાર ખેડુતો નોંધાયેલ છે.

વર્ષ ર૦૧પ-૧૬માં ર૬૩૭૯ અને વર્ષ ર૦૧૬ માં ૩૬૮૪ર ખેડુતોને પાક વિમાની રકમ ચુકવવામાં આવી આ જવાબથી સંતોષ ન થતા વિરજી ઠુંમરે ખુબ જ આક્રોશથી બોલ્યા કે સરકારે ર૭ હજાર કરોડોના વિજળી રકમ કંપનીને ચુકવી તેની સામે માત્ર ર૧ર કરોડ ખેડુતોને ચુકવવામાં આવ્યા જેમાં ખરેખર મોટી રકમ મળતી હતી. બાકીની રકમ વચેટીયાઓ ખાઇ ગયા અને સરકાર ખોટી માહીતી આપી ખેડુતોને ગેરમાર્ગે દોરે છે.

(11:21 am IST)