Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ટંકારા પાસે સર્જાયેલ અકસ્માતમાં વધુ ૧ મહિલાનુ મોતઃ મૃત્યુઆંક ૩

એસટી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સર્જાઇ કરૂણાંતિકા

મોરબી-ટંકારાઃ તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો અને મૃતકો નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ હર્ષદરાય કંસારા (ટંકારા) પ્રવિણ વ્યાસ-મોરબી

ટંકારા-મોરબી તા.૨૩: રાજકોટ-મોરબી હાઇ-વે ઉપરના ટંકારા પાસે બારનાળા પુલ પાસે  એસ.ટી. બસ, કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ગઇકાલે ર વ્યકિતના મોત નીપજયા બાદ એક પરિણીતાનુ પણ મોત નીપજતા મૃત્યુઆંક ૩ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ-મોરબી ઇન્ટરસીટી બસ અને સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે ભગવતીબેન ભગવાનજીભાઇ તન્ના રહેઃ મોરબી ઉ.વર્ષ ૪૫ સંધીલોહાણા અને હીતેશભાઇ માધવજી પરમાર ઉ.વર્ષ ૧૯ રહે.મોરબીના મોત નીપજયા હતા. જયારે ૫ વ્યકિતને ઇજા થઇ હતી.

આ અકસ્માતમાં પરિણીતા ગીતાબેન નિતેષભાઇ રાયકંગોર (ઉ.વ.૩૦)નુ પણ મોત નીપજતા મૃત્યુઆંક ૩ થયો છે.

ટંકારા મોરબી હાઇવે રોડ ઉપર ધુવનગર પાસે એસ.ટી.બસ અને કાર વચ્ચે અકસ્માત થયેલ તેમાં બે વ્યકિતના મૃત્યુ થયેલ છે.

તેની પોલીસ ફરિયાદ માધવજી માવજીભાઇ પરમાર જાતે દલિત રહેવાસી શ્રધ્ધાપાર્ક મોરબીએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવેલ છે.

ટંકારા હોસ્પીટલ ખાતે પી.એસ.આઇ. શ્રી એ.એમ.રાવલ તથા પોલીસ સ્ટાફ દોડી ગયેલ છે. પંચનામું વિગેરે કાર્યવાહી હાથ ધરેલ છે.

(4:02 pm IST)