Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ધોરાજીના સેવાભાવી દલસુખભાઇ વાગડીયાએ અનાથ બાળકો સાથે જન્મદિન ઉજવ્યો

 ધોરાજી : લાયન્સ કલબના પ્રમુખ ભૂલકા ગરબી મંડળના પ્રમુખ અને વેપારી મહામંડળ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા દલસુખભાઇએ પોતાનો જન્મદિવસ નિરાધાર અને અનાથ અને ગરીબ પરિવારના બાળકો જયા રહે છે તે પુરાણી સંસ્થા ઠકકર બાપા કુમાર છાત્રાલય ખાતે ધોરાજીની અનેકવિધ સેવાભાવી સંસ્થાઓના હોદ્દેદારોની હાજરીમાં બાળકો સાથે સૌએ જમીને અને સંસ્થાના તમામ બાળકોને દલસુખભાઇ વાગડીયાના હસ્તે શૈક્ષણિક કીટ આપી પોતાનો જન્મદિવસ ઉજવી સમાજને નવો રાહ ચિંધ્યો હતો. ઠકકર બાપા કુમાર છાત્રાલયના સંચાલક પરમારભાઇએ દલસુખભાઇ વાગડીયાનું સન્માન કરાયુ હતુ. ભારત વિકાસ પરિસંઘ લાયન્સ કલબ, ભૂલકા ગરબી મંડળ, રાષ્ટ્રીય સયમ સંઘ અને શહેરના અગ્રણીઓએ હાજર રહી જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી)(૪૫.૫)

(11:55 am IST)