Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

પોરબંદર ચોપાટી વિસ્તારમાં નળમાં દુષિત પાણીનું વિતરણઃ પાણીના નમૂના સાથે રજુઆત

પોરબંદર તા.૨૩: ચોપાટી વીઆઇપી એરિયામાં ગઇકાલે નગરપાલિકા દ્વારા નળમાં દુષિત પાણી વિતરણ થતાં દેકારો મચી ગયો હતો. લોકોએ બોટલમાં પાણીના નમૂના લઇને પાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયેલ ત્યારે તપાસ કરાવશું તેવા જવાબથી લોકોને સંતોષ થયેલ નથી.

નળમાં દુર્ગંધ મારતું ડહોળું પાણી વિતરણ થતાં કયાંક નળમાં લીકેજને લીધે ગટરનું પાણી ભળી જતું હોવાની શંકા વ્યકત કરીને લોકોએ તપાસ શરૂ કરવા માંગણી કરી હતી. દુષિત પાણીને લીધે આ વિસ્તારમાં રોગચાળો ફેલાય તે પહેલા વહેલીતકે કાર્યવાહી કરવા લોકોએ રજુઆત સાથે માંગણી કરી હતી.

(10:24 am IST)