Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

પાકિસ્તાન જેલમાં સજા પૂરી થયેલા ૨૯૧ માછીમારોને બે તબકકામાં મુકત કરાશે

પોરબંદર,તા. રર :પાકિસ્તાન જેલમાં ૬૦૦ ભારતીય માછીમારોમાંથી ૨૯૧ માછીમારોની સજા પૂર્ણ થતાં તેઓને ૨ તબકકામાં છોડી મુકવાનું પાકિસ્તાન સરકારે જાહેર કર્યાનું પોરબંદર બોટ એસોસિએશન પ્રમુખ ભરતભાઇ મોદીએ જણાવેલ છે. પ્રથમ તબકકામાં તા.૨૯મીએ ૧૪૫ માછીમારો અને ૮મી  જાન્યુઆરીએ ૧૪૬ માછીમારોને મુકત કરીને ભારતને સોંપી દેવાશે.

(11:29 am IST)