Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ઈસુદાન ગઢવી એક યુવા નેતા છે અને તેમનુ હ્રદય માત્ર ગરીબો માટે જ ધબકે છે

દેવભૂમિ દ્વારકાની ખંભાળિયા બેઠક પર અરવિંદ કેજરીવાલે વિશાળ જનસભા સંબોધી હતી. અહીં મોટી સંખ્યામાં આવેલા જનસમુદાયને જોઈને અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે દરેક વ્યક્તિ પોતાના પુત્ર ઈસુદાન ગઢવીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા અહીં આવ્યા છે. તેમણે કહ્યુ ઈસુદાન ગઢવી એક યુવા નેતા છે અને તેમનુ હ્રદય માત્ર ગરીબો માટે જ ધબકે છે.

 વધુમાં તેમણે ઉમેર્યુ કે આઝાદીના 75 વર્ષ બાદ ખંભાળિયાનો પુત્ર ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યુ ઝાડુનું બટન દબાવો, મફત વીજળી મેળવો; ઝાડુનું બટન દબાવો, સારું શિક્ષણ મેળવો; ઝાડુનું બટન દબાવો, સારી સારવાર મેળવો; ઝાડુનું બટન દબાવો, સારો રોજગાર મેળવો.

(10:34 pm IST)