Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું સ્‍નેહમિલન અને નવી ટીમનું સન્‍માન

જૂનાગઢ : રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ગાંધીગ્રામ ખાતે નુતન વર્ષ નિમિતે સ્‍નેહમિલન અને માતૃસંસ્‍થા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘના તાજેતરમાં ચુંટયેલા પ્રમુખ યુવા ઉદ્યોગપતિ બંકીમભાઇ મહેતા,ઉપ પ્રમુખ વાસુદેવભાઇ જોષી તેમજ મંત્રી સંજયભાઇ દવે અને સહમંત્રી જીતેન્‍દ્રભાઇ બોરીસાગર, ખજાનચી ભવસુખભાઇ મંડીર, ઓડીટર કમલેશભાઇ ભરાડ સહિત નવનિયુક્‍ત હોદ્દેદારોનું રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન કમીટીના પ્રમુખ શશીકાંતભાઇ બોરીસાગર અને સમાજના મોભી અશોકભાઇ પંડયા, કમલેશભાઇ ભરાડ, મનુભાઇ રવિયા સહિતના આગેવાનોએ કર્યું હતું. આ તકે સન્‍માનના પ્રત્‍યુતરમાં નવનિયુક્‍ત પ્રમુખ બંકીમભાઇ મહેતાએ જણાવ્‍યું હતું કે,  સમાજે અમને જે જવાબદારી સોંપી છે. તે પુરી નિષ્‍ઠા સાથે બજાવીશું. તેમજ અમદાવાદ સ્‍થિત વિદ્યાર્થી ભવનનું અધુરૂ રહેલ બાંધકામ વહેલી તકે પુર્ણ થાય તે માટે પ્રયત્‍નશીલ રહેશું તેમજ અકીલાના માધ્‍યમથી સમાજના સમાચારોનું પ્રચાર અને પ્રસાર કરતા અને ઓછું બોલતા અને વધારે કામ કરતા અકીલાના પત્રકાર વિનુભાઇ જોષીનું ફુલહાર પહેરાવી બંકીમભાઇ મહેતાએ સન્‍માન કરેલ. ઉપરાંત મંત્રી સંજયભાઇ દવે એ પણ સમાજને સાથે રાખી વિકાસ કરવા જણાવેલ તેમજ નિવૃત ડેપ્‍યુટી કલેકટર ગુણંવતભાઇ ભરાડે જણાવેલ કે આ નવી ટીમ ખુબ ઉત્‍સાહી છે. સમાજને માટે ખુબજ સારૂ કામ કરીશુ તેમા કોઇ શંકાને સ્‍થાન નથી તેમ અંતમાં જણાવેલ. (અહેવાલ  : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા,જુનાગઢ)

(1:29 pm IST)