Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

‘ભાજપના આગેવાનો-કાર્યકરોએ મત માંગવા પ્રવેશવુ નહી' માણાવદરમાં પોસ્‍ટરો લાગ્‍યા

રઘુવીરપરામાં ભાજપ વિરૂધ્‍ધ પોસ્‍ટરો લાગતા રાજકીય ગરમાવો

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા. રર :.. માણાવદર રઘુવીરપરા વિસ્‍તારમાં  ભાજપના કાર્યકરો, આગેવાનોએ મત માંગવા પ્રવેશવું નહિ ભાજપ સરકાર માલધારી વિરોધી સરકાર ત્‍થા ગીર બરડા આલેચ અનુ. જનજાતીના દરરજ બાબતે  તેમજ અન્‍ય ૯ માંગણીઓ ભાજપ સરકાર દ્વારા ન સંતોષાતા ઉપરોકત પોસ્‍ટરો રઘુવીરપરા વિસ્‍તારમાં લાગતા ખળભળાટ મચાવી દિધો છે. આવા પોસ્‍ટરોના કારણે ભાજપને ભારે ફટકો પડવાના એંધાણો જોવા મળશે તેવી આમ જનતામાં ચર્ચા છે.

બીજી બાજુ હજી કાર્યક્રમમાં પાછળ ખુરશીઓ ખાલી હોવાની પણ ઠેર ઠેર ચર્ચા થઇ રહી છે. રઘુવીરપરામાં ભાજપ વિરૂધ્‍ધ પોસ્‍ટરો એ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે જોવાનું રહયું શું થાય છે...? 

(11:32 am IST)