Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

પોરબંદરમાં આધેડનો ગળાફાંસો ખાઇને આપઘાત પાછળ જમીન પચાવી પાડવા માથાભારે તત્વોનો ત્રાસ?

પોરબંદર તા ૨૨ :  છાંયા નવાપરામાં રહેતા વીરમભાઇ સવદાસભાઇ સીડા (ઉ.વ.૫૨) એ જીંદગીથી કંટાળી જઇને ગળેફાંસો ખાઇ લેતા લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પીટલે લઇ જવાયેલ છે.

આપઘાત કરનાર વીરમભાઇને તેની છાંયા નવાપરામાં કરોડોની કિંમતની જમીન પચાવી પાડવા માથાભારે તત્વો દ્વારા જમીન ખાલી કરવા ભારે ત્રાસ અપાતો હોવાનું ચર્ચાય રહ્યું છે. એવી પણ ચર્ચા છે કે, વીરમભાઇએ મરણોન્મુખ નિવેદનમાં ત્રાસ આપનારના નામ પણ આપ્યાં છે. હજુસુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.

(1:05 pm IST)