Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસમાં ૩ સિંહોના મોત : ગીર પૂર્વમાંથી વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો

અમરેલી તા ૨૨  : ગુજરાતની શાન એવા એશિયાઇ સિંહનો વધુ એક મળી આવ્યો મૃતદેહ, અમરેલીના ધારી ગીર પૂર્વમાં છેલ્લા ૨૦ દિવસમાં ૩ સિંહના મોત, વન્યપ્રેમીઓ દ્વારા વન વિભાગ સામે પણ ઉઠયા સવાલો. અગાઉ જાફરાબાદ ના માણસામાં એક સિંહનું શકાસ્પદ મોત થયું હતું. તો પાંચ દિવસ પહેલા ખાંભાના નાગેલી રોડ પર એક અજાણ્યા વાહન હડફેટે એક સિંહણનું મોત થયું હતું, ત્યારે આજે વધુ એક ગીર પુર્વ તુલશીશ્યામ રેન્જના ભીમચાસ નજીકથી બિડગે નદીમાંથી સિંહણનો મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. સિંહોના મોત મામલે વનવિભાગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે, મોતનું સાચુ કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે તેવું વન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

(1:00 pm IST)