Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બગસરા શાળા નં .૨૩માં વિદાય સન્માન

બગસરાઃ શાળા નંબર૩ ખાતે નિવૃત થતા શાળાના શિક્ષકોનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વયમર્યાદાને કારણે નિવૃત્ત્। થતા શિક્ષકોને સમ્માનિત કરવામાં આવ્યા હતા.  શાળા નંબર ૩ બગસરા શાળાના શિક્ષકો રતિલાલ કે. ગજેરા અને શારદાબેન આર. વઘાસિયા ૩૫ વર્ષની સેવા બાદ નિવૃત થતા શિક્ષકોનો નિવૃત્ત્િ। વિદાય સન્માન કાર્યક્રમ મહંત ભરતદાસ બાપુ અને મહંત સત્યનારાયણ દાસ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી આચાર્ય પ્રફુલભાઈ સાવલિયા એ કાર્યક્રમમાં પધારેલા મહેમાનો અને પધારેલા સ્નેહી મિત્ર મંડળ નું શબ્દોથી સ્વાગત કર્યું હતું ત્યારબાદ બંને શિક્ષકોએ શાળામાં પોતાની ફરજ દરમિયાન કરેલ કામગીરી થી માહિતગાર કરવા શાળા તરફથી તેમજ પે.સેન્ટર શાળા તરફથી સન્માન પત્ર ના શબ્દોનું વાંચન શાળા નંબર ૪ ના આચાર્ય દર્શનભાઈ ઠાકર અને જામકા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી મધુકાન્ત બોરડ દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ બંને શિક્ષકોને શ્રીફળ પડો અને શાલ ઓઢાડીને શિલ્ડ એનાયત કરવામાં આવેલ બંને શિક્ષકોએ શાળાને રૂપિયા ૬૦ હજારનું અનુદાન આપેલ હતું. આ કાર્યક્રમમાં બીઆરસી કો ઓર્ડીનેટર જગદીશભાઈ વેકરીયા તાલુકા પ્રાથમિક શિક્ષક સંદ્યના પ્રમુખ રમેશભાઈ માલવિયા મંત્રી બળવંતભાઈ મહેતા બગસરા તાલુકા શિક્ષક શરાફી મંડળીના પ્રમુખ ભાવેશ ભાઈ ડોબરીયા મંત્રી સતિષભાઈ સતાસિયા ગોકુળપુરા પે.સેન્ટર શાળા ની પેટા શાળાના તમામ આચાર્યશ્રીઓ પે.સેન્ટર આચાર્ય શ્રી તેમજ સંતો સગા સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતા.વિદાય સન્માનની તસ્વીર.

(11:52 am IST)