Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

હળવદના સુંદરગઢ નજીક બ્રાહ્મણી નદી કાંઠેથી કોથળામાં બાંધેલી પુરુષની લાશ મળતા ચકચાર

પુરુષની હત્યા થયાની આશંકા : પોલીસ તપાસનો ધમધમાટ

હળવદનહળદવ,તા.૨૨: હળવદ તાલુકાના સૂર્ય નગર ગામ પાસે આવેલ બ્રાહ્મણી- બે ના કાંઠે આવે ભઠ્ઠી વાળા ઓકરા પાસે પાણી મા કોથળામાં અને ગોદડા વીટેલી હાલતમાં એક લાશ તરતી હોવાનું ગ્રામજનોને ધ્યાને આવ્યું હતું જેથી ગામના વજુભાઈ સરપંચ એ હળવદ પોલીસનો સંપર્ક કરતાં પોલીસ દ્યટનાસ્થળે દોડી આવી છે અને પ્રાથમિક તપાસ હાથ ધરી છે જોકે કોથળામાંથી લાશ મળી આવવાના બનાવને પગલે આજુબાજુના લોકો મોટી સંખ્યામાં દ્યટનાસ્થળે દોડી આવ્યા છે

મૃતદેહ ને કોથળામાં ભરેલો હોય અને ફરતાં ગોદડા વીતેલા હોય તેમજ મૃતદેહને એક વજનવાળી વસ્તુ પણ કોથળામાં ભરેલ હોય જેથી હત્યા થઇ હોવાની આશંકા વર્તાઈ રહી છે .ઙ્ગ સાચી હકીકત મી માહિતી મેળવવા પોલીસ તપાસ ઝડપી બનાવી છે ત્યારે બાદ જ આ અંગે નું રહસ્ય બહાર આવશે. આ ઉપરાંત લાશ ને રાજકોટ ખાતે ફોરેન્સિક લેબ ખાતે મોકલી આપવા માં આવી છે જેથી ઝીણવટ ભરી માહિતી પ્રાપ્ત થઈ શકેઙ્ગ

આ અંગે પી.આઈ સંદીપ ખાંભલા એઙ્ગ જણાવ્યું હતું કે હાલ પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે પ્રાથમિક દ્રષ્ટિએ આ મૃતદેહ પુરુષ નો હોવાનું જણાઈ આવે છે તેમજ હત્યા છે કે આત્મહત્યા છેઙ્ગ તે સહિતની તપાસ હાલ ચાલુ છે.

(11:49 am IST)