Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

તળાજા - વેરાવદરમાંથી છ દિવસમાં ૨ યુવતિઓ ગુમ

ભાવનગર તા. ૨૨ : તળાજા પોલીસ મથકમાં છેલ્લા છ દિવસમાં તળાજા શેહર અને નજીકના વેળાવદર ગામનીઙ્ગ મળી બે યુવતીઓ ગમ થયાની ફરિયાદ યુવતીઓના પિતા દ્વારા આપવામાં આવી છે. શરદી, ખાંસી ના મલેરિયા હુવા. આ ગીત ની પંકિતને અનુસરતી ઘટનાઓ તળાજા પંથકમાં કહી શકાય કે રોજિંદી બનતી જાય છે.ઙ્ગ જે દીકરી ઓના વાલી ગણ માટે ચિંતા નો વિષય બની છે.

તળાજા ખાતે રહેતા શાંતિભાઈ શામજીભાઈ જાનીએ પોતાની દીકરી અસ્મિતાબેન (ઉ.વ. ૨૩) ગત તા. ૧૪ના રોજ સવારે સાતથી દસના સમય વચ્ચે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયાની ફરિયાદ નોંધાવી છે.

જયારે વેળાવદર ગામના ઘનશ્યામભાઈ ભગવનભાઈ મકવાણા એ પોતાની સાત ધોરણ પાસ દીકરી નીતાબેન (ઉ.વ.૧૯) ગત રાત્રીથી આજ વહેલી સવાર દરમિયાન ગુમ થયાની પોલીસને ફરિયાદ કરી છે.

(11:04 am IST)