Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જામનગરમાં હિન્દુ સેના દ્વારા સુભાષચંદ્ર બોઝને વંદના

 જામનગર :  જામનગરમાં હિન્દુ સેના દ્વારા ૨૧ ઓકટોમ્બર ૧૯૪૩ ના માં. શ્રી સુભાષચંદ્ર બોઝએ આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કરી હતી. એટલુજ નહિ આ દેશ ને પહેલા આઝાદી અપાવનાર આ સપૂતને આજે ફૂલ હર અને વંદે માતરમ્ના ગાનથી નમન કરીને મેયર હસમુખભાઈ જેઠવા અને હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ ની ઉપસ્થિતિમાં સુભાષબ્રિજ, માં. શ્રી સુભાષ ચંદ્ર બોઝને વંદન કરવા હિન્દુ સેના જિલ્લા અધ્યક્ષ વિનુભાઈ આહીર, જિલ્લા યુવા અધ્યક્ષ મયુર પટેલ, શહેર યુવા અધ્યક્ષ ગુંજ કરિયા, ધીરેન નંદા, કિશન દેસાઈ, ભાવેશ ઠુંમર, દીપક પટેલ, એડવોકેટ રાજેશ તન્ના, આર.એસ.એસ. ના હસમુખભાઈ કુંભારના સહિત અનેક સૈનિકો હાજર રહ્યા હતા.

(12:54 pm IST)