Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢના પ્રદિપસિંહ જાડેજા અંબાજી માતાજીના દર્શને

જૂનાગઢ : જૂનાગઢમાં યશસ્‍વી ફરજ અદા કરી તમામ લોકોના હૃદયમાં સથાન પામેલા એસડીપીઓ પ્રદિપસિંહ જાડેજાએ વિદાય લેતા પહેલા ગિરનાર ઉપર બિરાજમાન જગતજનનીને માં અંબાના ભાવપૂર્વક દર્શન પૂજન કરી વિદાય લીધી હતી. જૂનાગઢ ડિવિજનમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવી રહેલા લોકોના હૃદયમાં અંકિત થયેલા ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજરોજ વિદાય વેળાએ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનનીમાં અંબાના ભાવપૂર્વક દર્શન કરી અને પૂજન અર્ચન કર્યું હતું અને મંદિર ટ્રસ્‍ટ વતી મહંત શ્રી તનસુખગીરી બાપુની આજ્ઞાથી વિદાય લઇ રહેલા જાડેજાને માતાજીની ચુંદડી અર્પણ કરી સન્‍માનિત કર્યા હતા. અને દીર્ધાયુ અને આગળ પણ લોકકાર્યો કરતા રહે તેવી શુભેચ્‍છા આપી હતી.

(1:37 pm IST)