Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ  દ્વારા પ્રખ્યાત કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને ડો. જગદીશ ત્રિવેદીની ઉપસ્થિતિમાં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.  મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં બ્રહ્મસમાજના ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે સમારોહમાં મોરબીમાં વસતા ભૂદેવ પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા પ્રખ્યાત ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા, જાણીતા હાસ્ય કલાકાર ડો. જગદીશભાઈ ત્રિવેદી તેમજ પીઆઈ મયંક પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુકલ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમુલભાઈ જોષી સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.(તસ્વીર-અહેવાલ : પ્રવિણ વ્યાસ મોરબી)(

(2:35 pm IST)