Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પાલનપીર દેવના મેળામાં સાંસદ ચાવડાની ઉપસ્થિતિ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા. ૨૨ : ટંકારાના હડમતીયામાં આવેલ મેઘવાળ સમાજનું આસ્થાનું કેન્દ્ર સમા સુપ્રસિદ્ઘ પાલનપીર હજ્જારો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે. ત્યારે ભારતભરમાંથી અનેક લોકો તેમના દર્શન માટે આવે છે. ત્યારે કચ્છ-મોરબી જિલ્લાના સાંસદ વિનોદભાઈ ચાવડા પણ મેળામા ઉપસ્થિત રહ્યા હતા અને પાલનપીર દેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ તકે વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના હડમતીયા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાયેલ પાલનપીર દેવના મેળામાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે. નોંધનીય છે કે તેમની સાથે મોરબી જિલ્લા બીજેપી અશોક ચાવડા, ગુજરાત પ્રદેશ ભાજપ અનું જાતિ કારોબારી વિઠલભાઈ ચાવડા,મોરબી શહેર ભાજપ પૂર્વ પ્રમૂખ બાબુભાઈ પરમાર, મોરબી જિલ્લા રસિકભાઈ વોરા,ઙ્ગ મનુભાઈ સારેસા મોરબી શહેર ભાજપ તેમજ મોરબી જિલ્લા અનુ જાતિ મોરચા પ્રમૂખ અરજણભાઇ મકવાણા, જગદીશભાઈ ચાવડા, મોરબી શહેર ભાજપ અનુ જાતિ મોરચા પ્રમૂખ પ્રવિભાઈ સોલંકી તેમજ અનુસૂચિત જાતિના આગેવાનોનો ઉત્સાહ હડમતીયા પાલનપીર દેવનાં દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

(1:21 pm IST)