Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરના ટીંબીની સ્‍વામિ શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્‍પિટલને ગજેરા પરિવાર દ્વારા ૨.૫૧ લાખ અર્પણ

ભાવનગર : સ્‍વામિ શ્રી નિર્દોષાનંદજી  માનવસેવા હોસ્‍પિટલ, ટીંબી (જી.ભાવનગર)માં ચાલતા નિઃશુલ્‍ક આરોગ્‍યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત રામોદના વતની અને હાલ રાજકોટ સ્‍થિત દાતા શ્રી વિપુલભાઇ તથા અનિલભાઇ ભીખુભાઇ ગજેરા તરફથી સ્‍વ.દક્ષાબેન ભીખુભાઇ ગજેરાના પુણ્‍યાર્થે તેમના માતા-પિતા કંચનબેન ભીખુભાઇ ધરમશીભાઇ ગજેરા હસ્‍તે રૂા.૨,૫૧,૦૦૦ દર્દી નારાયણ સારવાર અર્થે અર્પણ કરેલ છે. હોસ્‍પિટલના મંત્રી બી.એલ.રાજપરા અને ટ્રસ્‍ટી પરેશભાઇ કે.ડોડીયા દ્વારા હોસ્‍પિટલનાં પ્રણેતા સદ્‌ગુરુદેવ સ્‍વામી શ્રી નિર્દોષાનંદ સરસ્‍વતીજી મહારાજન ‘જીવનચરિતામૃત' ગ્રંથ અને શાલ અર્પણ કરી હતી.

(11:43 am IST)