Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વાંકાનેરના અમીતભાઇ કોટકની હત્‍યાનો મુખ્‍ય આરોપી સરફરાજની શોધખોળ

સરફરાજના આશ્રયસ્‍થાનો પર પોલીસની ધોંસ ચાલુ : સરફરાજ વિશે માહિતી આપનારનું નામ ગુપ્‍ત રખાશે : પી.આઇ. બી.પી.સોનારા

વાંકાનેર તા. ૨૨ : વાંકાનેરમાં ગત તા. ૧૧-૯ના રાત્રીના અમરનાથ સોસાયટીમાં વ્‍યાજંકવાદીઓ દ્વારા આશાસ્‍પદ લોહાણા યુવાન અને બિઝનેસમેન અમીતભાઇ કોટકની છરીના ઘા ઝીંકી હત્‍યા થયા બાદ અત્‍યાર સુધીમાં માત્ર બે આરોપી જ ઝડપાયા છે. જ્‍યારે મુખ્‍ય આરોપી સરફરાઝ હજુ પણ ફરાર હોય તેની શોધખોળ ચાલુ છે.

લોહાણા યુવાન અમીતભાઇ કોટકની હત્‍યામાં પોલીસે બે આરોપીઓને પકડી પાડેલ છે. મુખ્‍ય આરોપી સરફરાજ મકવાણા ફરાર હોય તેની શોધખોળ ચાલુ છે. તપાસનીશ અધિકારી વાંકાનેરના સર્કલ પોલીસ ઇન્‍સ્‍પેકટર બી.પી.સોનારાએ જણાવ્‍યું હતું કે, હત્‍યાના બનાવ બાદ આરોપી સરફરાજના આશ્રયસ્‍થાનો પર પોલીસની ધોંસ સતત ચાલુ છે. જો કે હજુ તે મળી આવ્‍યો નથી. સરફરાજ વિશે માહિતી આપનારનું નામ ગુપ્‍ત રખાશે. સરફરાજ વિશે કંઇ માહિતી હોય તો પોલીસને જાણ કરવા અપીલ છે.

(11:39 am IST)