Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પાલભાઈ આંબલીયાને દ્વારકા વિધાનસભા બેઠક પર ઉમેદવાર જાહેર કરવા ખેડૂતોની માંગ

 વઢવાણ : ગુજરાત કોંગ્રેસ પાલભાઈ આંબલીયાને દ્વારકા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે તેમ સુરેન્‍દ્રનગર જીલ્લા નાં ખેડૂતો ની માંગ રહી છે તેઓ સમગ્ર ગુજરાતમાં એક ખેડૂત આગેવાન તરીકે નામનાં ધરાવે છે ખાસ અમારા ઝાલાવાડ પંથકમાં સુરેન્‍દ્રનગર જિલ્લામાં ખેડૂતો માટે તમામ લડતો માં તેઓ હાજર રહી ખેડૂતો ને ન્‍યાય અપાવવા માટે સફળ રહેલાં છે અને અમો ને જીલ્લા માં પાકવિમો- એસ.ડી.આર.એફ.- વિજલાઈન વળતર - દુષ્‍કાળગ્રસ્‍ત- અતિવળષ્ટિ- જમીન માપણી- નર્મદાનાં નીર- સહિત સમગ્ર લડતો માં તેઓ હાજર રહ્યા છે અને સાથ સહકાર આપતાં હોવાથી સિધ્‍ધી રીતે કોંગ્રેસ મજબૂત બની છે  પાલભાઈને કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરશે તો તેની અસર સમગ્ર ગુજરાતમાં ખેડૂતો ઉપર પડશે અને તેઓનાં કામ બોલે છે માટે તમામ જીલ્લા નાં ખેડૂતો ખેડૂત આગેવાનને ટીકીટ મળે એટલે કોંગ્રેસને મતદાન વધું પ્રમાણમાં વધશે અને તેનો ફાયદો દરેક ઉમેદવાર ને થશે અમારે સુરેન્‍દ્રનગર જીલ્લા માં જ તમામ બેઠકો પર પાંચ હજાર મતો કોંગ્રેસ ને વધુ મળશે દરેક ઉમેદવારને તો ખેડૂતો ની એક જ વાત લાગણી અને માંગણી કોંગ્રેસ પક્ષ પાસે છે કે દ્વારકા વિધાનસભા બેઠક પર ઉમેદવાર તરીકે પાલભાઈ આંબલીયાને જાહેર કરવામાં આવે અને ખેડૂતોને પ્રતિનિધિત્‍વ આપવામાં આવે.(તસ્‍વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)

(11:38 am IST)