Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગર ગુરૂકુળમાં ડોનેટ રેડ અંતર્ગત મહારક્‍તદાન કેમ્‍પ

 ભાગનગર : શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરમાં અ.નિ.પ.પૂ. ગુરૂવર્ય નારાયણ-યિદાસજીની જન્‍મજ્‍યંતિ નિમિત્તે ‘ડોનેટ રેડ' કાર્યક્રમ અંતર્ગત મહારક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  કે.પી.સ્‍વામીજીની  પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્‍વૈચ્‍છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્‍સાહથી જોડાયાં સાચા અર્થમાં સમાજ સેવાના અદકેરાં કાર્યમાં સહભાગી બન્‍યાં હતાં. નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં આહુતિ અર્પણ કરીને સર્વ સમૂદાયના વાલીઓ આ મહારક્‍તદાન કેમ્‍પમાં ખરા અર્થમાં 'રક્‍તદાન મહીયતે' સૂત્રને સાર્થક કર્યું હતું. માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ જેવાં શહેરોમાંથી પણ ઉત્‍સાહથી લોકો જોડાયાં હતાં. આ જોઈને જાણે અ.નિ.પ.પૂ. સ્‍વામીજીના અનરાધાર આશીર્વાદ વરસી રહયાં હોય તેવું લાગતું હતું તેમ જણાવી કે.પી. સ્‍વામીએ. હું મહાન છું એ મહત્‍વનું નથી, પરંતુ મહાન કાર્યો કરવાં માટે મારાં પ્રયત્‍નો મહાન હોવાં જોઈએ એ -પ્રયત્‍નોમાં સહભાગી થવાં તેમણે ઉપસ્‍થિત લોકોનેપ્રેરણા આપી હતી.  આ રક્‍તદાન શિબિરમાં શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર કેમ્‍પસ અને ગુરૂકુળની વિવિધ શાખાઓમાં કુલ મળી ૧,૮૫૧ બોટલ રક્‍ત રક્‍તદાતાએ રક્‍તદાન કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી હતી. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે.  આ ભગીરથ કાર્ય માટે ભાવનગર બ્‍લડ બેંક, સર ટી. બ્‍લડ બેંક તેમજ બોટાદ બ્‍લડ બેંકના સહિયારા પ્રયાસથી આ કાર્ય ખૂબ જ સરળતાથી થયું હતું.   અ. નિ. પ. પૂ. નારાયણ પ્રિયદાસજીની પૂણ્‍ય સ્‍મળતિ નિમિત્તે આ સતત ૮ વર્ષનાં બ્‍લડ ડોનેશન કેમ્‍પને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્‍ટી કે.પી.સ્‍વામીજી,  વિવિધ વિભાગનાં આચાર્ય તેમજ શાળા પરિવારનાં તમામ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્‍વીર-અહેવાલ : મેઘના વિપુલ હિરાણી,ભાવનગર)

(11:35 am IST)