Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભૂપેન્‍દ્ર રોડ શ્રી સ્‍વામિનારાયણ મંદિરે કાલે સ્‍વામીજીની સ્‍મૃતિમાં દેવોને થાળ-ધુન-કિર્તન-ભોજન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૨ : ‘જય શ્રી સ્‍વામિનારાયણ' ઇષ્‍ટદેવ શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી એવં. પૂ. હરિચરણદાસજી સ્‍વામીના આર્શીવાદથી અ.નિ. સદગુરૂ શાષાી શ્રી ભગવતચરણદાસજી-જામજોધપુર તથા અ.નિ.સ.ગુ. પુરાણી સ્‍વામી અક્ષરજીવનદાસજી -હરિયાણા (ખેડા)ની પુણ્‍યસ્‍મૃતિ અર્થે કાલે ભાદરવા વદ-૧૩ ને શુક્રવાર તા. ૨૩/૯/૨૦૨૨ના રોજ નિજમંદિરમાં બિરાજતા દેવોને થાળ તથા સંતો ભકતોને ભોજનપ્રસાદ સાંજે ૮ કલાકે રાખેલ છે.
ભોજનપ્રસાદ બાદ ધૂન-ર્કીર્તન રાત્રે ૯ કલાકે સભામંડપમાં રાખેલ છે. ભાવિકોને શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍યમંદિર (બોરડીવાળુ) ભૂપેન્‍દ્ર રોડ, રાજકોટ ખાતે લાભ લેવા કોઠારી સ્‍વામી પૂ.રાધારમણ સ્‍વામીજીએ આમંત્રણ પાઠવ્‍યું છે.

 

(11:34 am IST)