Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

પોરબંદર આઇટીઆઇમાં ઉતીર્ણ થયેલ તાલીમાર્થીઓને સર્ટિફીકેટસ એનાયત

પોરબંદર,તા.૨૨:  આઇ.ટી.આઇ. ખાતે વિશ્વકર્મા દિવસ નિમિત્તે વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓના પદવીદાન સમારોહ યોજાયો હતો.
દરેશ ટ્રેડના પાસ આઉટ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ માર્કશીટ એનાયત કરવામા આવી હતી. આ પદવીદાન સમારોહનું આયોજન સંસ્‍થાના વડાશ્રી પી.કે.વાળાના માર્ગદર્શન હેઠળ થયું હતું.  દરેક ટ્રેડના પ્રથમ ત્રણ ક્રમાંકે ઉતીર્ણ થયેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્‍સાહિત કરવામાં આવ્‍યા હતા. આ તકે આઇ.એમ.સી.કમીટીના સભ્‍ય, આરસેટી એસ.બી.આઇ પોરબંદર બ્રાન્‍ચ ડાયરેકટર તથા સંસ્‍થાના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(10:39 am IST)