Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કોર્ટ કેસ પાછો ખેંચી લેવા પાલીતાણાના શિક્ષકને ધમકી

ભાવનગર,તા. ૨૨: પાલિતાણાની પંચશીલ સોસાયટીમાં રહેતા અને ગણેશનગર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતા મણિલાલ હકાભાઇ ગોહિલના પુત્ર મયંકભાઇએ વર્ષ ૨૦૧૯ માં મુંબઈમાં રહેતા કાલિન્‍દા ઉર્ફે જયોત્‍સના ચંદ્રકાંત કેદાર અને અમિતકુમાર ઉર્ફે સમીર હૈદરઅલી ખાન ને રૂ.૧૩,૫૪,૮૦૦ તેમના ખાતામાં ટ્રાન્‍સફર કરીને પતરા બનાવવા માટેનું કાચું મટીરીયલ મંગાવ્‍યું હતું. જે આ બંનેએ નાણા મેળવી માલ નહીં મોકલતા તેમની વિરુદ્ધ પાલીતાણા ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવેલ અને કોર્ટ કેસ ચાલી રહ્યો હોય કાલિન્‍દાબેન અને અમિત કુમારે મણિલાલને ફોન કરીને કોર્ટ કેસ પાછો ખેંચી લેવા ધમકી આપી હતી.
પાલીતાણા ટાઉન પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(10:35 am IST)