Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

સ્‍વ. ગુરુદેવ રમેશભાઇ ભટ્ટની સ્‍મૃતિમાં જસદણમાં આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન કેમ્‍પ

 જસદણ : આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ-જસદણ દ્વારા ચતુર્થ બ્‍લડ કેમ્‍પનું આયોજન ટ્રસ્‍ટના સભ્‍યોના વંદનીય ગુરુ સ્‍વ. શ્રી રમેશચંદ્ર નાનાલાલ ભટ્ટનાં સ્‍મરણાર્થે એમના શ્રાધ્‍ધ નિમિતે છાયાણી પરિવારની વાડી ખાતે કરવામાં આવ્‍યુ હતું. આ રક્‍તદાન કેમ્‍પમાં વિશાળ સંખ્‍યામાં રકતદાતાઓના ઉત્‍સાહથી ૯૦ બોટલ રકત એકઠું કરી ગુરુની શિક્ષનું ખરુ ઋણ ચુકવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આદર્શ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા અવારનવાર રકતદાન કેમ્‍પ, કીડીયારૂં પુરવાનું અભિયાન, પર્યાવરણ જાગૃતિ, હોસ્‍પિટોલમાં દર્દીઓને ફ્રુટ, શીરો વગેરે વિતરણ સહિતની અનેક વિધ સેવાકીય પ્રવૃતિઓ નિસ્‍વાર્થભાવે કરવામાં આવે છે. (તસ્‍વીરઃ ધર્મેશ કલ્‍યાણી-જસદણ)

(10:09 am IST)