Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

આર્થિક ભીંસથી કંટાળીને સુરજ કરાડીનાં યુવકનો આપઘાત

ખંભાળીયા, તા., રરઃ ઓખા મંડળના સુરજ કરાડી વિસ્તારમાં રહેતા જુમાભાઇ ઓસમાણભાઇ જખરાણી નામના ૪ર વર્ષના મુસ્લીમ યુવાન ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય અને તેને ડ્રાઇવીંગનું કામ મળતું ન હોવાથી તેઓ કામ-ધંધા વગર પોતાના પરે ગુમસુમ રહેતા હતા. આ પરિસ્થિતિ તેમને મનમાં લાગી આવતા ગઇકાલે મંગળવારે તેમના ઘરના પીઢીયામાં સાડી વડે ગળાફાંસો ખાઇ તેમણે આપઘાત કરી લીધો હતો.

આ સમગ્ર બનાવ અંગે મૃતકના પત્નિ મદીનાબેન જુમાભાઇ જખરાણીએ મીઠાપુર પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. (૪.૯)

 

(4:09 pm IST)