Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

જોડીયાની ઉંડ નદીના પુરમાં તણાયેલ વ્યકિતનો પતો મળે તો જાણ કરવી

જોડીયા, તા., ૨૨: જોડીયા તાલુકાની ઉંડ નદીના મસાણીયા ચેક ડેમ ઉપરથી તા.૬ જુલાઇના રોજ અલ્તાફભાઇ ઇબ્રાહીમભાઇ રાધા જાતે વાઘેર રહે.. મફતથીયા પરા નાનોવાર જોડીયા ધસમસતા પાણીમાંથી પોતાના મોટર સાયકલ પર પસાર થતા તણાઇ ગયેલ જેનો આજ સુધી પતો મળેલ નથી.

મજકુર અલ્તાફભાઇએ બ્લુ કલરનું ટીશર્ટ તથા કોફી કલરનો ટ્રેક શુટ પહેરેલ તેઓ શ્યામવર્ણના હતા. ઉચાઇ પ.પ ફુટ હતી. જેની તપાસ કરતા મળી આવેલ ન હોય જો કોઇ વ્યકિતને આ યુવાનની મામહીતી મળે તો જોડીયા પોલીસ સ્ટેશન ફોન ૦ર૮૯ ૩રરર૦૩૩ તથા તથા જામનગર કંટ્રોલરૂમ ૦ર૮૮ રપપ૦ર૦૦ ઉપર જાણ કરવા હેડ કોન્સ્ટેબલ એ.આર.રાઠોડે અપીલ કરી છે.

(11:42 am IST)