Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

અમરેલીના ડો. પંકજભાઈ જાદવ (ઉં.વ,50)નો કોરોનાએ જીવ લીધો: રાજકોટ કોવિડ 19 હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ 19માં સાંજે વધુ એક દર્દીનું મોત થયું છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ ધરાવતા ડો. પંકજભાઈ જાદવનું મોત નીપજ્યું છે. રિપોર્ટ પોઝિટિવ આવતા 8 દિવસથી અમરેલી સારવારમાં હતા. આજે બપોર બાદ રાજકોટ કોવિડમાં ખસેડવામાં આવતા વેન્ટીલેટર પર રખાયા હતા. સાંજે તેમનું મૃત્યુ નીપજ્યું છે. અંતિમવિધિ રાજકોટ ખાતે જ નિયમ મુજબ કરવામાં આવી છે.

(8:48 pm IST)