Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ખંભાળિયામાં ૬૫ વર્ષના પ્રૌઢનું કોરોનાથી મોત

ખંભાળિયા તા.રર : ખંભાળિયાના ૬પ વર્ષના પ્રૌઢનું કોરોનાથી મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. ૬પ વર્ષના હરેશભાઇ નરભેશંકર જોષીને તા.૧પના રોજ જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમનો રીપોર્ટ પોઝીટીવ આવતા સારવાર શરૂ કરવામાં આવી હતી. આજે બપોરે તેમનું મોત થતાં અરેરાટી વ્યાપી છે.

(3:48 pm IST)