Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

બોટાદની મહિલા ઉપર દુષ્કર્મ ગુજારનાર ર સાધુ સહિત ૩ ઝડપાયા : રિમાન્ડની તજવીજ

 અમરેલી, તા. રર :  નારાયણનગર ગામે મહીલાને મજુરીકામે બોલાવી અવાર નવાર બળાત્કાર કરતા ત્રણ સાધુ ભગતો વિરુધ્ધ ગુન્હો દાખલ કરી ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમા  (દામનગર) અમરેલી પોલીસે ઝડપી લીધેલ છે.

છેલ્લા દોઢેક વર્ષથી બોટાદ ગામની મહીલાને નારાયણનગર ગામે સતદેવીદાસના આશ્રમમા મજુરી કામ અર્થે બોલાવી રૂમમા ગેરકાયદે રાખી મહીલાને ઉપર ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી અવારનવાર બોલાવી સતદેવીદાસ આશ્રમના સાધુ તથા સ્વામીનારાયણ મંદીર ગઢડા ના બે સ્વામી ભગત અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતું.

જેની કાયદેસરની કાર્યવાહી મે.પોલીસ અધિક્ષક  નીર્લીપ્ત રાય સાહેબ તથા ના.પો.અધિ.એમ.એચ.રાણા ની સુચના અન્વયે દામનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ.વી.એલ.પરમાર દ્વારા મજકુર મહીલા બેનની ફરીયાદ લઇ આરોપીઓએ આગોતરૂ કાવતરૃં રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવાના ઇરાદે મજકુર મહીલાને મજુરી કામ અર્થે નારાયણનગર ગામે બોલાવી રૂમમા રાખી મજકુર મહીલાની મરજી વિરુધ્ધ કોઇને કહેશે તો ચોરીના ગુન્હામા પકડાવી દેવાની ધમકી આપી ત્રણેય આરોપીઓએ વારંવાર અલગ અલગ દિવસોમા બોલાવી બળાત્કારી કરી ગુન્હામા એકબીજાએ મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે આરોપીઓ (૧) રદ્યુરામ ભગત રહે.નારાયણનગર તા.લાઠી જી.અમરેલી (૨) જગદિશ ભગત રહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ (૩) ભાવેશ ભગત ઙ્ગરહે.જુના સ્વામીનારાયણ મંદીર ગઢડા તા.ગઢડા જી.બોટાદ વાળાઓને ગણતરીના કલાકોમા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવા હાથ ધરેલ છે.

(2:53 pm IST)