Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોનાના વધુ ૩ કેસ

અત્યાર સુધીમાં કુલ કેસ ૯૭: સુરેન્દ્રનગરમાં ૨ અને પાટડીમાં એક કેસ નોંધાતા ચિંતા

વઢવાણ, તા.૨૨:સુરેન્દ્રનગરમાં રવિવારે વધુ ૩ કેસ આવતાં કુલ આંક ૯૭એ પહોંચ્યો છે. આમ સદી થવામાં માત્ર ૩ કેસ ઓછા છે. રવિવારના કેસમાં સુરેન્દ્રનગરની મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇ અને પાટડની મહિલાની અમદાવાદની હિસ્ટ્રી જાણવા મળી હતી. સુરેન્દ્રનગર શહેરની નુરેમહમદ સોસાયટીમાં રહેતા ૩૮ વર્ષીય રૂબીનાબેન સમીરભાઇ મોદનને કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. બીજા કેસમાં વઢવાણ ૮૦ ફૂટ રોડ પર આવેલા અવધપાર્ક નજીક રહેતા અને ચાંગોદર દવાની ફેકટરીમાં કામ કરતાં ૩૦ વર્ષના દિપેશભાઈ ધાનીશભાઈ શુકલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. દિપેશભાઈ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પીએચએન(પબ્લીક હેડ નર્સ) રેણુકાબેનનો પુત્ર હોવાનું બહાર આવ્યુ હતુ.

પાટડી ભાટવાસમાં ૨૧ વર્ષના યુવાનને કોરોના પોઝીટીવ આવ્યા બાદ બીજા દિવસે પાડોશી રાખીબેન હિતેશભાઇ પૂજારાને રિપોર્ટ પોઝીટીવ આવતા સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી. આ મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી પણ અમદાવાદ હોવાનું ખુલવા પામ્યું છે.

(12:56 pm IST)