Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

અષાઢી બીજ ઉત્સવ રદ્દ છે : પૂ. વિજયબાપુ

આપા ગીગાના ધામ સતાધારના મહંત કહે છે, ઘરમાં રહીને સેવા-પૂજા કરજો

રાજકોટ, તા. રર : કરોડો ભાવિકોના આસ્થાના ધામ આપા ગીગાના સ્થાનક સતાધારના મહંત પૂ. વિજયબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુએ જણાવ્યું હતું કે, આવતીકાલે અષાઢી બીજ છે. આપા ગીગા દરેક ભાવિકોનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના અમે કરીએ છીએ.

કોરોના મહામારીના કારણે સરકારી ગાઇડ લાઇન અનુસાર સતાધાર ધામમાં અષાઢી બીજ ઉત્સવ રદ્દ  કરવામાં આવ્યો છે. પૂ. વિજયબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુએ જણાવ્યું હતું કે, સ્થિતિની ગંભીરતા સમજીને ભાવિકો ઘેર રહી સેવા-પૂજા-પાઠ કરે તેવી અપીલ અમે કરીએ છીએ. આપા ગીગા આપણા બધાં પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના છે.

(12:51 pm IST)