Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભાવનગરમાં કોરોનાના વધુ ર કેસ

બે કેસ શહેરમાં નોંધાતા કુલ આંક ૧૯૩એ પહોંચ્યો

ભાવનગર તા.રર : ભાવનગરમાં કોરોનાને વધુ બે પોઝીટીવ કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લાનો આંક વધીને ૧૯૩એ પહોંચ્યો છે.

ભાવનગરમાં કોરોનાનો કહેર વધી રહયો છે. આજે સોમવારે સવારે શહેરમાં વધુ બે કેસ નોંધાયા છે. શહેરમાં ભરતનગર શિક્ષક સોસાયટી પ્લોટ નં.૧૭૮માં રહેતા મહેન્દ્રભાઇ ત્રિવેદી (ઉ.વ.૬ર) તથા શહેરમાં આનંદનગર વિસ્તારમાં અપ્પુ ટ્રેડર્સની સામે રહેતાં લાલજીભાઇ જેઠાભાઇ જાદવ (ઉ.વ.૬૦)નાં રીપોર્ટ પોઝીટીવ આવતાં બંન્નેને સરટી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આજનાં બે કેસથી ભાવનગરનો કોરોનાનો કુલ આંક વધીને ૧૯૩ થયો છે. ભાવનગરમાં કુલ ૧૯૩ કેસમાંથી ૧૪ દર્દીના મોત નિપજયા છે. જયારે ૧૪૧ દર્દીઓ સાજા થતાં હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. હવે ભાવનગરની હોસ્પીટલમાં ૩૮ દર્દીઓ સારવારમાં છે. (૭.૧૮)

(12:50 pm IST)