Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

માળીયામાં શહીદોને શ્રધ્ધાંજલીઃ

માળીયા હાટીનાઃમાળીયા હાટીના ખાતે અત્રેના મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે ગ્રામ પંચાયત તથા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એલ ઓ સી પર ચીન સામે મુઠભેળ માં શહિદ થયેલ ૨૦ શહીદો ને શ્રદ્ઘાંજલી આપવા કાર્યક્રમ યોજાયેલ જેમાં રાજકીય, સામાજિક આગેવાનો જ્ઞાતિ આગેવાનો વેપારીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સોશ્યલ ડિસ્ટન્સ રાખી બે મિનિટ મોન પાડી શહીદોને શ્રદ્ઘાંજલે આપી હતી અને બાદમાં ચીન ની દરેક પ્રોડકટ નો બહિષ્કાર કરવા સર્વાનું મતે નક્કી કરવામાં આવીયુ હતું અને દેશ ની સરકાર ચીન સામે જે પણ નિર્ણયો લે તેને પૂર્ણ સમર્થન માટે ગ્રામજનો એ ચીન વિરુદ્ઘ સુત્રોચાર કર્યો હતા. શ્રધ્ધાંજલી અપાય તેે તસ્વીર.

(11:57 am IST)