Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જેતપુરમાં સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા ઉકાળો-સુંઠનું વિતરણ

 જેતપુર તા.૧૯ : કોરોનાને રોકવા આયુર્વેદિક ઉપચારો ઘણા અંશે કારગતનીવડયા હોય ઉકાળો અને સુંઠનું સેવન કરવાની ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવે છે જેથી કોરોના વાયરસ શરીરમં પ્રવેસે નહિ અને રોગ પ્રતિકારક શકિત વધે તેથી સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા શહેરના સીનીયર ડોકટર વાઘવાણીના માર્ગદર્શન મુજબ સામાન્ય લોકોને સુંઠનો પ્રયોગ કરવા માહિતી આપેલ જેતલસર તેમજ ખીરસરા ગામે આયોજન કરવામાં આવેલ જેમાં આયુર્વેદિક ઉકાળો પીવડાવી તેમજ સુંઠનો પ્રયોગ કેવી રીતે કરવો સમજાવી અને તેનું પેમ્લેટ આપવામાં આવેલ આ કાર્યક્રમને સફળ બનાવવા પરીનભાઇ કયાડા, રસીકભાઇ બાટવીયા, વિજયભાઇ ચૌહાણ, યશભાઇ ત્રિવેદી સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(11:56 am IST)