Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

વિછીયાના સોમલપરના ભરવાડ યુવાન પુના રાતડીયાએ ઝેર પી જિંદગીનો અંત આણ્યો

રવિવારે સાંજે વાડીએ જવાનું કહીને નીકળી ગયોઃ મોડી રાતે ગામમાંથી ઝેર પીધેલી હાલતમાં મળ્યોઃ રાજકોટમાં દમ તોડ્યોઃ આપઘાતનું કારણ અકબંધ

રાજકોટ તા. ૨૩: વિછીયાના સોમલપર ગામે રહેતાં પુના મૈયાભાઇ રાતડીયા (ઉ.૨૨) નામના ભરવાડ યુવાને ઝેર પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પુનાના પરિવારજનોના કહેવા મુજબ તે સાંજે ઘરેથી વાડીએ જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ ત્યાં ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મોડી રાતે તે ગામની બજારમાંથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ વહેલી સવારે તેણે દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ વિછીયા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર પુના રાતડીયા પાંચ ભાઇ અને એક બહેનમાં નાનો હતો. ગયા વર્ષે જ તેના લગ્ન થયા હતાં. તે ખેતી કરી પરિવારને મદદરૂપ થતો હતો. બેભાન હાલતમાં જ મોત નિપજ્યું હોઇ કારણ જાણી શકાયુ નથી. વિછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:46 am IST)