Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મોરબીના લાલપરમાં નશો કર્યા બાદ રાજેન્દ્ર ભાન ભુલ્યોઃ ગળાફાંસો ખાધો

પરિવારજનોએ બચાવી રાજકોટ સારવાર માટે ખસેડ્યો

રાજકોટ તા. ૨૩: મોરબીના લાલપરમાં રહેતાં રાજેન્દ્ર બચુભાઇ ડૈયા (ઉ.વ.૩૦) નામના વણકર યુવાને ગાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતાં પરિવારજનો જોઇ જતાં જીવ બચાવી લઇ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. રાજેન્દ્ર ત્રણ બહેન અને બે ભાઇમાં નાનો છે અને કારખાનામાં મજૂરી કરે છે.  ગઇકાલે તેણે ગળાફાંસો ખાઇ લીધો હતો. મોરબી આયુષ હોસ્પિટલમાં સારવાર અપાવી રાજકોટ ખસેડાયો છે. પરિવારજનોના કહેવા મુજબ રાજેન્દ્રને દારૂ પીવાની કુટેવ છે. ગઇકાલે ચિક્કાર પીને આવ્યા બાદ નશામાં આ પગલુ ભરી લીધું હતું. મોરબી તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:45 am IST)