Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ભાવનગર જિલ્લામાં ૬ દર્દી કોરોના મુકત

૧૯૧ કેસોની સામે હાલ ૩૬ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર,તા.૨૨:જિલ્લામાઙ્ગ છેલ્લા ૨૪ કલાક દરમ્યાન ૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧૯૧ થવા પામી છે. વાલ્મિકીવાસ, સિહોર ખાતે રહેતા ૫૫ વર્ષીય દેવુબેન બળવંતભાઈ નૈયા, મહુવાના મોટી વડાલ ગામ ખાતે રહેતા ૫૦ વર્ષીય દાનુભાઈ નાનકુભાઈ ખુમાન, તલગાજરડા ખાતે રહેતા ૩૫ વર્ષીય કુરજીભાઈ જીણાભાઈ કળસરિયા, સણોસરાના મેઈન બજાર ખાતે રહેતા ૧૩ વર્ષીય ગુલનાજ જકીરભાઈ લોહીયા તથા તેમના માતા ૪૬ વર્ષીય શબાનાબેન જકીરભાઈ લોહીયા, ભાવનગરના સુભાષનગર ખાતે રહેતા ૬૪ વર્ષીય અરવિંદ પિઠાઈ અને પાલીતાણાના દાણાપીઠ ખાતે રહેતા ૩૩ વર્ષીય મિનાક્ષીબેન મધુકરભાઈ વોરાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ છે.

જયારેઙ્ગ ૬ કોરોના પોઝીટીવ દર્દીઓ કોરોનામુકત થતા તેઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. જેમા ગત તા.૧૨ જુનના રોજ ભાવનગરના મંગાળા માં મંદિર, આંબાવાડી ખાતે રહેતા ૪૨ વર્ષીય નીલમબેન કેતનકુમાર ભટ્ટ, તા.૧૨ જુનના રોજ ભાવનગરના ક્રેસન્ટ સર્કલ ખાતે રહેતા ૩૧ વર્ષીય નિકુંજ કૌશિકભાઈ આચાર્ય, તા.૧૨ જુનના રોજ અમદાવાદના દ્યાટલોડિયા ખાતે રહેતા ૩૧ વર્ષીય ગુંજન નિકુંજભાઈ આચાર્ય,તા.૧૨ જુનના રોજ ગારિયાધાર ખાતે રહેતા ૫૮ વર્ષીય હંસાબેન હીરાભાઈ ગોહિલ તથા ૫૯ વર્ષીય હીરાભાઈ હરજીભાઈ ગોહિલ અને તા.૧૨ જુનના રોજ અમદાવાદના સેટેલાઈટ રોડ ખાતે રહેતા ૬૪ વર્ષીય ગીતાબેન વિનોદભાઈ કંસારાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમા દાખલ કરવામા આવેલ.

આમ જિલ્લામા નોંધાયેલા ૧૯૧ કેસ પૈકી હાલ ૩૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૧૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ ૧૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(11:39 am IST)