Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જૂનાગઢમાં મોરારીબાપુના સમર્થનમાં સાધુ સંતો અને સર્વપક્ષીય આગેવાનોની મિટિંગમાં હુમલાના પ્રયાસને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યો : સરકારને આવેદન પાઠવી પગલાં લેવા માંગ

જૂનાગઢ મહાનગરમાં કથાકાર મોરારી બાપુના સમર્થનમાં સાધુ સંતો અને સર્વ પક્ષીય આગેવાનોની એક બેઠક મળી હતી જેમાં બાપુ ઉપરના હુમલાના પ્રયાસને સખ્ત શબ્દોમાં વખોડી કઢાયો હતો અને સરકારને આવેદન પાઠવી જવાબદારો સામે પગલાં ભરવા માંગ કરાય હતી

  આ બેઠકમાં મહામંડલેશ્વર ભારતી બાપુ ,ગિરનાર અંબાજી મંદિરના મહંત તંસુખ ગીરી બાપુ, સૂર્ય મંદિરના મહંત મહા મંડલેસ્વર જગજીવન દાસ બાપુ, માતાજી સેલજા દેવી સહિતના સંતો સાથે શહેરના આગેવાનો ,ધારાસભ્ય ભીખા ભાઇ જોસી, મેયર ધીરુ ભાઈ ગોહેલ, દાદુ ભાઇ કનારા,ગિરીશ કોટેચા, સસી ભાઈ ભીમાણી વગેરે હાજર રહ્યા હતા

(10:32 pm IST)