Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

વાંકાનેરના કોઠી ગામે દાઝી જતાં ફકીર વૃધ્ધા અમીનાબેનનું મોત

રાજકોટ તા. ૨૨: વાંકાનેરના કોઠી ગામે રહેતાં અમીનાબેન નુરમહમદ સરવદી (ઉ.૭૫) નામના ફકીર વૃધ્ધાનું દાઝી જતાં મોત નિપજ્યું છે.

અમીનાબેન તા. ૧૬ના રોજ ચુલા પર રસોઇ બનાવતી વખતે દાઝી જતાં વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત સાંજે મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. મૃતકને સંતાનમાં એક પુત્ર છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:27 am IST)